બ્રાઝિલમાં મૃત અંગદાતાના ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ વડે બાળકનો જ્ન્મ થયો
ચિકિત્સા વિજ્ઞાનમાં પહેલી જ વાર એક મૃત અંગદાતાના ગર્ભાશયમાંથી બાળકનો જ્ન્મ થયો છે. વૈજ્ઞાનિકોએ આ ઘટનાને મેડિકલ સાયન્સમાં માઇલ સ્ટોન સમાન ગણાવી છે. આ સફળ પ્રયોગ પછી સંતાન ઇચ્છતા દંપતિઓ માટે એક આશાનું કિરણ જાગ્યું છે. ખાસ કરીને ગર્ભાશય સંબંધી બીમારીઓ અને ખામીઓના પગલે ગર્ભધારણ માટે અક્ષમ મહિલાઓ માટે આ સંશોધન ખૂબજ મહત્વનું છે. નિસંતાનોએ અત્યાર સુધી બાળકને દત્તક લેવું કે સરોગેટ મા ની મદદ લેવી એ જ માત્ર ઉપાય હતો. ગર્ભાશય પ્રત્યારોપણનું સફળ ઓપરેશન બ્રાઝિલના સાઉલો પાઉલોમાં કરવામાં આવ્યું હતું. બ્રાઝિલની સાઉલો પાઉલો યૂનિવર્સિટીંમાં મેડિકલ પ્રોફેસર ડાની એજનબર્ગના જણાવ્યા મુજબ અમને મળેલું પરીણામ સંતાન પ્રાપ્તિ માટે ઝંખતા દંપતિઓ માટે એક નવો વિકલ્પ બનશે એવી આશા છે. (ANN NEWS)